• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં નવી 9 મનપાઓ આજથી અસ્તિત્વમાં આવી, મનપા કમિશનર પણ નિમાયા - જાણો હવે ગુજરાતમાં કુલ કેટલી મનપા થઈ?

ગુજરાતમાં નવી 9 મનપાઓ આજથી અસ્તિત્વમાં આવી, મનપા કમિશનર પણ નિમાયા - જાણો હવે ગુજરાતમાં કુલ કેટલી મનપા થઈ?

08:58 PM January 01, 2025 Gujju News Channel Share on WhatsApp

રાજ્યની નવી 9 મનપામાં અસ્તિત્વમાં આવતા જ મ્યુનિસિપલ કમિશ્નર પણ નિમવામાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કુલ કેટલી મનપા અસ્તિત્વમાં છે તે જાણો...



New Municipal Corporation And New District in Gujarat:  1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. રાજ્યની નવી 9 મનપાને આજથી દરરજ્જો આપીને અસ્તિત્વમાં લાવવામાં આવી છે. આ સિવાય રાજ્ય સરકારે 1 નવા જિલ્લા તરીકે વાવ-થરાદની ઘોષણા કરી છે. જેથી હવે ગુજરાતમાં કુલ 34 જિલ્લા અને 17 મનપા અસ્તિત્વમાં છે.

► નવી મનપાનાં મ્યુ.કમિશ્નરની નિમણૂંક

રાજ્યની નવી 9 મનપામાં મ્યુ. કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી છે. નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે. નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ, પોરબંદર મ્યુ. કમિશ્નર તરીકે એચ. જે. પ્રજાપતિ, મહેસાણા મ્યુ. કમિશ્નર તરીકે રવિન્દ્ર ખટાલે , વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી ,સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી ,આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના , નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી , ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણુંક કરાઇ છે.

► કઈ 9 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા ?

મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.  

► ગુજરાતમાં હવે કેટલી મહાનગર પાલિકા ?

રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. અગાઉ 1.ગાંધીનગર 2. અમદાવાદ 3.સુરત 4.વડોદરા 5.રાજકોટ 6.જુનાગઢ 7.ભાવનગર 8.જામનગર આ 8 મનપા અસ્તિત્વમાં હતી. અને હવે 9.મહેસાણા, 10.ગાંધીધામ, 11.વાપી, 12.નવસારી, 13.આણંદ, 14.સુરેન્દ્રનગર, 15.નડિયાદ, 16.મોરબી અને 17.પોરબંદર કુલ 17 મ્યુ

► નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક 'થરાદ'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે, હાલ નવા જિલ્લામાં ચૂંટણી નહીં યોજાય. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.

► નવા જિલ્લા વાવ-થરાદમાં કેટલા અને ક્યાં તાલુકાનો સમાવેશ થયો

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, 'હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.'

► ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લાઓ

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.

ક્રમ જિલ્લો મુખ્ય શહેરર
1  અમદાવાદ અમદાવાદ
2 અમરેલી અમરેલી
3 આણંદ આણંદ
4 અરવલ્લી મોડાસા
5 બનાસકાંઠા પાલનપુર
6 ભરૂચ ભરૂચ
7 ભાવનગર ભાવનગર
8 બોટાદ બોટાદ
9 છોટા ઉદેપુર છોટા ઉદેપુર
10 દાહોદ દાહોદ
11 ડાંગ આહવા
12 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા
13 ગાંધીનગર ગાંધીનગર
14 ગીર સોમનાથ વેરાવળ
15 જામનગર જામનગર
16 જૂનાગઢ જૂનાગઢ
17 ખેડા નડિયાદ
18 કચ્છ ભુજ
19 મહીસાગર લુણાવાડા
20 મહેસાણા મહેસાણા
21 મોરબી મોરબી
22 નર્મદા રાજપીપળા
23 નવસારી નવસારી
24 પંચમહાલ ગોધરા
25 પાટણ પાટણ
26 પોરબંદર પોરબંદર
27 રાજકોટ રાજકોટ
28 સાબરકાંઠા હિંમતનગર
29 સુરત સુરત
30 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
31 તાપી વ્યારા
32 વડોદરા વડોદરા
33 વલસાડ વલસાડ
34 વાવ-થરાદ થરાદ

► મુખ્યમંત્રીએ નપા અને મનપા માટે 1000 કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને 'ક' તથા 'ડ' વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat's New Municipal Corporation - Gujarat New Manpa Office - Gujarat's New District - Vav-Tharad Become 34th District Of Gujarat - Now 17 Municipal Corporation In Gujarat - ગુજરાતની કુલ મહાનગરપાલિકા 2025 - ગુજરાતના કુલ જિલ્લા 2025 - ગુજરાતમાં કુલ 34 જિલ્લા થયા



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us